Thursday, 1 November 2012

JAY GIRIRAJ

જય ગિરિરાજ !!!
..જય આદિનાથ !!!
શત્રુંજય તીર્થનું વિશિષ્ટ મહત્વ છે.
આ વિશ્વનું એકમાત્ર તીર્થ છે, જ્યાં ૨૦૦૦થી વધુ જૈન મંદિરોની નિરંતર ફરકતી ધજાઓથી દેવલોકની ઝાંખી થાય છે.
શત્રુંજય તીર્થ ૧૦૮થી વધુ નામો ધરાવે છે. જેમાં પુંડરિકગિરિ, વિમલાચલ, કંચનગિરિ,સિદ્ધાચલજી વગેરેનો સમાવેશ થાય છે.
આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. જણાવે છે કે આ મહાતીર્થમાં ભ્રમણ કરવાથી ભવનું ભ્રમણ અટકે છે.




શત્રુંજય મહાત્મય


શાસ્ત્રોમાં લખ્યું છે -૧ હજા૨ જીભથી કેવલી ભગવંત પણ ગિરિરાજનો મહિમા વર્ણન કરે તો પણ મહિમા પા૨ ન આવે.કાંકરે કાંકરે અનંતા સિધ્યાઆ સિધ્ધગિરિ ઉપર• શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ ની સાથે ચૈત્ર સુદ ૧૫ ને દિવસે• શ્રી દ્રાવિડ અને વારિખિલ્લજી ૧૦ ક્રોડ સાથે કારતક સુદ ૧૫ ને દિવસે• શ્રી શાંબ અને પ્રધુમ્ન મુનીઓ ૮.૫૦ ક્રોડ સાથે ફાગણ સુદ ૧૩ ને દિવસે ( છ ગાઉ યાત્રા )• પાંચ પાંડવો ૨૦ ક્રોડ મુનીઓ સાથે આસો સુદ ૧૫ ને દિવસે• નમિ અને વિનમિ ૨ ક્રોડ મુનીઓ સાથે ફાગણ સુદ ૧૦ ને દિવસે• નારદજી ૯૧ લાખ સાથે• રામ અને ભરત ૩ ક્રોડ સાથે• સોમયશા ૧૩ ક્રોડ સાથે• વસુદેવ ની પત્ની ૩૫ હજાર સાથે• શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ મુનિઓ• ભરતમુનિ ૫ ક્રોડ સાથે• અજિતસેન મુનિ ૧૭ ક્રોડ સાથે• શ્રી અજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુ ચૈત્ર સુદ ૧૫ ના• શ્રી સારમુનિ ૧ ક્રોડ સાથે• શ્રી દમિતારી ૧૪ હજાર સાથે
" છઠ્ઠેણં ભત્તેણં અપાણેણં તુ સત્ત જત્ત્તાઈંજો કુણઈ સેત્તું જે , તઈયભવે લહઈ સો મુક્ખં "



 

પાણી વિનાનો ચૌવીહાર છઠ્ઠ કરી જે પ્રાણી શત્રુંજયની સાત યાત્રા કરે છે તે ત્રીજે ભવે મોક્ષ પામે છે.
શત્રુંજય ઉપર જે મનુષ્ય છત્ર , ધજા , પતાકા , ચામર ને કળશ મુકે તે દાન થી તે વિદ્યાધર થાય છે, અને રથ કરાવી ને મુકે તો ચક્રવતી પદ પામેછે.


આજે પણ જે મનુષ્ય -પાણી નો ત્યાગ કરી શત્રુંજય ઉપર અણસણ કરે તે અનાચારી હોય તો પણ સુખ પૂર્વક સ્વર્ગ માં જાય છે.જે પુણ્ય અન્ય તીર્થે કરોડ મનુષ્યો ને ઈચ્છિત જમણ થી થાય તે શત્રુંજય માં એક ઉપવાસ કરવાથી થાય છે.

જે શત્રુંજય ગીરી પર પ્રતિમા ભરાવે કે જિન મંદિર કરાવે તે પુરા ભરત ક્ષેત્ર ને ( ચક્રવતી પણે ) ભોગવી ઉપસર્ગ રહિત એવા સ્વર્ગ કે મોક્ષમાં વસે છે.

The Satrunjay Mahatirth, Palitana temples are considered the most sacred pilgrimage place (tirtha) by the Jain community.

There are more than1300 temples located on the Shatrunjaya hills, exquisitely carved in marble.

The main temple on top of the hill, is dedicated to 1st tirthankar lordAdinath (Rishabdev)

 —
@inesh shah

No comments:

Post a Comment

Thank you for your comments

Upcoming Events

Vaishakh Sud - 6 (16-May-2013) Palitana - Matajini Pun: Pratishtha Din - Havan

Read before you scroll down

Before criticizing a person, walk a mile in his shoes

Followers